ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના પાનસર ખાતે જનકલ્યાણ શિબિરમા ૨૧૦૦થી વધુ લાભાર્થીઓને મળ્યો સરકારી યોજનાઓનો સીધો લાભ

ગાંધીનગર તા.૧૭ જૂન-
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ જિલ્લા પંચાયત સીટ નંબર-૧૮ અંતર્ગત પાનસર પ્રાથમિક શાળા ખાતે વિશાળ ‘જનકલ્યાણ શિબિર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પાનસર, ધમાસણા, ડીંગુંચા, ભાદોલ અને નારદીપુર ગામોના નાગરિકોને આવરી લઈને એક જ સ્થળે તમામ સરકારી યોજનાઓના લાભો આપવાની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા કુલ ૨,૧૧૩ લાભાર્થીઓને સાંકળીને ₹૪,૯૬,૦૦૦ની સહાય રાશી અને વિવિધ મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિબિરમાં પશુપાલન ક્ષેત્રે સૌથી મોટી કામગીરી જોવા મળી હતી, જેમાં ૭૩૦ પશુઓનું રસીકરણ અને ૭૯૫ પશુઓ માટે ડીવર્મિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ગ્રામજનોના સ્વાસ્થ્યની સુરક્ષા અંતર્ગત ૩૦ નાગરિકોને આયુષ્માન કાર્ડ, ૩ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડ વય વંદના, ૧૪૭ નાગરિકોનું NCD સ્ક્રીનિંગ, ૧૦ માતાઓને નમોશ્રી યોજના અને ૪ લાભાર્થીઓને PMMVY યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. ખેડૂતો માટે સ્માર્ટફોન મંજૂરી હુકમ હેઠળ ૧૬ લાભાર્થીઓને ₹૯૬,૦૦૦ ની સહાય, ૧ પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે ₹૨,૦૦,૦૦૦ ની સહાય, ૩ ખેડૂતોને તાર ફેન્સિંગ યોજના તેમજ ૧૭ ખેડૂતો માટે પીએમ કિસાન નવી અરજી તથા EKYC ની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી.
તાલુકા પંચાયત કલોલ દ્વારા NRLM મિશન મંગલમ હેઠળ ૧૩૦ લાભાર્થીઓને ₹૨,૦૦,૦૦૦ ની આર્થિક મદદ પૂરી પાડવામાં આવી હતી. આ સિવાય ૨૦ નાગરિકોને આવક પ્રમાણપત્ર અને ૧૨ નાગરિકોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો સ્થળ પર જ ઇસ્યુ કરાયા હતા. શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી લક્ષ્મી યોજના હેઠળ ૨૦ અને સરસ્વતી યોજના હેઠળ ૧૫ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.
શિબિરમાં મામલતદાર કચેરી દ્વારા ૬૫ નાગરિકોની આધાર કાર્ડ કામગીરી, ૫૦ રેશનકાર્ડ લગત સુધારા-વધારા અને નામ દાખલ/કમી કરવાની કામગીરી, ૫ ગંગાસ્વરૂપા વિધવા સહાય અને ૨ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. આ ઉપરાંત બેંકિંગ અને નાણાકીય માર્ગદર્શન માટે આરબીઆઈ ફાઉન્ડેશન દ્વારા ૩૫ લોકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલોલના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રી (ગ્રામ્ય)ના સીધા સંકલન હેઠળ યોજાયેલી આ જનકલ્યાણ શિબિરે સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ એસ. પટેલ, અગ્રણી શ્રી ભાર્ગવભાઈ, કલોલ તાલુકા સદસ્યશ્રી હિતેન્દ્રભાઇ પટેલ,પૂર્વ તાલુકા પ્રમુખ
અર્પિતભાઈ રમેશભાઈ પટેલ, ભાઉપુરાના સરપંચશ્રી
ભાગ્યેશભાઈ, ડિગુચાના સરપંચશ્રી ઝીલબેન પટેલ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *