રાષ્ટ્રીય

જામિયા અને અલીગ હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી

નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટમાં સિનિયર એડવોકેટ ઇન્દિરા જયસિંગે જામિયા મીલીયા ઇસ્લામીયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એસ.બોબડે સમક્ષ કર્યો હતો. જૈસિંગે કહ્યું કે કોર્ટે આ મામલાનું ધ્યાન લેવું જોઈએ. તેમણે કહ્યું કે આ દેશભરમાં માનવાધિકારનું ગંભીર ઉલ્લંઘન છે.
સીજેઆઈએ કહ્યું, અમે હક નક્કી કરીશું પરંતુ હુલ્લડોના વાતાવરણમાં નહીં, તે બધાને બંધ થવા દઈએ અને ત્યારબાદ અમે તેના વિશે આપમેળે ધ્યાન લઈશું. અમે અધિકાર અને શાંતિપૂર્ણ પ્રદર્શનની વિરુદ્ધ નથી.વરિષ્ઠ એડવોકેટ કોલીન ગોંસાલવિઝે કહ્યું, કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને જામિયા કેસની તપાસ કરવી જોઈએ. જ્યારે કોઈ વકીલે કોર્ટને કહ્યું કે તેની પાસે આ કેસથી સંબંધિત વિડિઓઝ છે, ત્યારે સીજેઆઈએ કહ્યું, અમે કોઈ વીડિયો જોવા માંગતા નથી. જો જાહેર સંપત્તિનું નુકસાન અને હિંસા ચાલુ રહેશે તો અમે તે સાંભળીશું નહીં. કોર્ટ આ કેસની સુનાવણી આવતીકાલે કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x