ગાંધીનગરગુજરાત

ફરાર શિક્ષિકા અને વિદ્યાર્થી ઘરે પરત ફર્યા

કલોલ
બે દિવસ અગાઉ ગાંધીનગરમાં એક શિક્ષિકા વિદ્યાર્થી ફરાર થઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે કિશોરના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરાઈ હતી. ત્યાર બાદ આજ રોજ આ બન્ને પોતાના ઘરે કલોક પરત ફરતા પરિવારજનોમાં હાશકારો અનુભવાયો હતો. ત્યાર બાદ આ બન્નેએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યા હતા અને અલગ-અલગ સ્થળે ગયા હોવાનું જણાવી પ્રેમસંબંધ હોવાના આક્ષેપોને રદિયો આપ્યો હતો.
તાજેતરમાં એક મહિલા શિક્ષિકા પોતાના જ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી સાથે ફરાર થઈ જતા પરિવારજનોમાં ભારે ચિંતાની લાગણી જોવા મળી હતી જેથી તેઓ એ 26 વર્ષની મહિલા શિક્ષિકા સામે ફરિયાદ પણ દાખલ કરી હતી. જયારે આજ રોજ આ બન્ને કલોલ પોતાના ઘરે પાછા પરત ફર્યા હતા.
આ બન્નેએ પોતાના નિવેદન પોલીસ સામે રજૂ કરતા તેમણે જણાવ્યુ છ કે, કિશોરે પોતાના કોઈ સંબંધીને ત્યાં ગયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે શિક્ષિકાએ પોતાના કામથી બહાર ગઈ હોવાનું નિવેદન આપ્યુ હતું. વિદ્યાર્થી સાથે પ્રેમસંબંધની વાતો ખોટી હોવાનો દાવો પણ શિક્ષિકાએ કર્યો હતો. જો કે પોલીસે આ મામલે કિશોર અને શિક્ષિકાના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x