ગુજરાત

સિહોરની મોંઘીબાની જગ્યાના મહંત જીણારામબાપાની અપીલ, ઘરે રહો, આબાદ રહો, દરેક વ્યકિત સરકારને સહાય આપે

ભાવનગર :
ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલી મોંઘીબાની જગ્યાના મહંત જીણારામ બાપુએ લોકોને લોકડાઉનનો અમલ કરવા અપીલ કરી છે. જીણારામબાપુએ જણાવ્યું છે કે, આખો દેશ અત્યારે કોરોના મહામારી સામે એક થઈને લડવા માટે અગ્રેસર થયો છે, આખા વિશ્વને આ મહામારીએ ભરડામાં લીધું છે ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે આપણા નેતાની અપીલને માન આપી ખુબ જ શિસ્તથી સૂચનાઓનું પાલન કરીએ અને માત્ર 21 દિવસ ઘરમાંથી અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન નિકળીએ. જયારે પણ કોઈને મળવાનું થાય ત્યારે 3 થી 5 ફૂટનું અંતર રાખીએ. સમૂહમાં મળવાનું તો કોઈ પણ સંજોગોમાં ટાળવું જોઈશે. જો કોઈ સમૂહમાં મળવાની વાત પણ કરે તો તરત જ સરકારના પ્રતિનિધિને જણાવીએ જેથી આવું સમાજવિરોધી કામ બંધ કરાવી શકાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x