ગુજરાત

વિજબીલ માફ કરવા રૂપેશભાઈ રાણાએ ખંભાત મામલતદારને આપ્યું આવેદનપત્ર 

ખંભાત :

સમગ્ર ખંભાત શહેર ના નાગરિકો નું (GEB) કંપની નું વિજબીલ માફ કરવા બાબતે આજ રોજ ખંભાત ના સામાજિક કાર્યકર એવા રૂપેશભાઈ રાણા અને તેમની સમગ્ર ટીમે ખંભાત મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી અને ખંભાત ના નાગરિકો ની વેદના ને વાચા આપી વિજબીલ માફ કરી મદદ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી.

આ આવેદન પત્ર આપવા જવામાં જે કોઈ ભાઈઓ એ સાથ સહકાર આપ્યો તેમાં અલિંગમાંથી રૂપેશભાઈ રાણા, રવિભાઈ રાણા, પ્રણાવભાઈ શાસ્ત્રી, ભાવેશભાઈ રાણા, સંજયભાઈ રાણા, કડીયાપોળથી પ્રતિકભાઈ રાણા, જલીપોળથી કેતનભાઈ રાણા, મોનિકાબેન રાણા, ઇન્દ્રવદનભાઈ રાણા, ધોબીચકલાથી રાહુલભાઈ રાણા, વિરલભાઈ રાણા આ તમામ સભ્યો સાથે રહ્યા અને આપણાં ગામના નગરજનોની વેદનાને વાચા આપવા સહકાર આપ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x