રાષ્ટ્રીયવેપાર

હવે તો લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે : MH મુખ્યમંત્રીશ્રી

મુંબઇ :

મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. રાજયમાં રવિવારે કોરોનાના રેકોર્ડ 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા. સરકારની પણ ચિંતા વધી છે અને ફરી એક વખત મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના પર બનેલી ટાસ્ક ફોર્સે લોકડાઉનની ભલામણ પણ કરી દીધી છે. ત્યાર બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને લોકડાઉનની સ્ટ્રેટેજી બનાવવા માટે જણાવ્યુ. ઉદ્ધવે રવિવારે જણાવ્યુ હતું કે મહારાષ્ટ્રમાં કલમ 144થી કામ નાહી ચાલે. કર્ફ્યૂથી પણ કંઇ જ ફેર પડશે નહીં. હવે તો લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે. ઉદ્ધવના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે આગામી એક કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં પથારીની સંખ્યાં ઓક્સીજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા બાબતે અધિકારીઓએ પાસેથી માહિતી લીધી છે. હિંગોલી જીલ્લામાં રવિવારથી જ એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ 29 માર્ચ સવારે 7 વાગ્યાથી 4 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે. જો કે, આ દરમિયાન જરૂરી સેવાઓ જેમ કે દૂધ, કરિયાણું, ફળ-શાકભાજીની દુકાનો અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. આ ઉપરાંત ઔરંગાબાદમાં પણ 30 માર્ચની મધરાતથી 8 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x