Uncategorized

જળયાત્રામાં મેયર સહીત મ્યુનિ.હોદ્દેદારોની ગેરહાજરી વર્તાઈ

અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરેથી દર વર્ષે નીકળતી પરંપરાગત રથયાત્રા અગાઉ  જળયાત્રામાં ગુરુવારે શહેરના મેયર સહીત મ્યુનિ.ના હોદ્દેદારોની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.આ અંગે મળતી માહીતી મુજબ,રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરેથી જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ જળયાત્રામાં રાજય સરકારના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઉપરાંત ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહ જાડેજા સહીતના લોકો જોડાયા હતા.જયારે એકતા સમિતિના અધ્યક્ષ એવા શહેરના મેયર સહીત મ્યુનિ.ના અન્ય કોઈ હોદ્દેદારોને જળયાત્રામાં જોડાવા નિમંત્રણ આપવામાં ના આવ્યુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x