ગુજરાત

સુપ્રીમ કોર્ટે રવિવારે યોજાનારી NEETની પરીક્ષા રદ કરવાની અરજી ફગાવી દીધી, હવે રવિવારે જ યોજાશે પરીક્ષા,

નીટની પરીક્ષા 12 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે મેડિકલમાં પ્રવેશ કરવા માટે નીટની પરીક્ષા 12 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 12 જુલાઈએ આ જાહેરાત કરી. પ્રધાને ટ્વીટ કરી, ‘નીટ- યુઝી 2021 કોવિડ 19 નિયમોનું પાલન કરતા દેશભરમાં 12 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 19 નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવવા માટે પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવેશ અને નિકાસ માટે અલગ અલગ સમય હશે. સંપર્ક રહિત પંજીકરણ, યોગ્ય સાફ સફાઈ, સામાજિક અંતરની સાથે બેઠકની વ્યવસ્થા વગેરે સુનિશ્ચિત કરવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારી દેવામાં આવી
શિક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે સામાજિક અંતરના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે જે શહેરોમાં પરીક્ષા આયોજિત કરવામાં આવશે. તેમની સંખ્યા 155થી વધીને 198 કરી દેવામાં આવી છે. પરીક્ષાના 3862 કેન્દ્રોની સરખામણીએ આ વખતે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારી દેવામાં આવશે. ગત વર્ષ કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખી સખ્ત સાવધાનિઓની વચ્ચે 13 સપ્ટેમ્બરે નીટની પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી. પરીક્ષામાં કુલ 13.66 લાખ પરીક્ષાર્થી સામેલ થયા હતા. જેમાંથી 7,71,500ને ક્વોલિફાઈ કર્યા હતા.આ ભાષાઓમાં યોજાશે પરીક્ષા

ગત વર્ષ રાષ્ટ્રીય મેડિકલ આયોગ અધિનિયમ 2019માં સંશોધન બાદથી 13 આઈસીએમઆર અને પોંડિચેરીમાં સ્થિત જવાહરલાલ સ્નાતકોત્તર મેડિકલ શિક્ષા તથા અનુસંધાન સંસ્થાનમાં એમબીબીએસમાં પ્રવેશ પરીક્ષાઓ પણ નીટના માધ્યમથી જ લેવાઈ રહી છે. પરીક્ષા 11 ભાષાઓ- અંગ્રેજી, હિંદી, અસમિયા, બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, ઓડિસા, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં આયોજીત કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x