Uncategorized

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી ઉપર બળાત્કાર ની ફરિયાદ થતા ભાજપ માંથી આપ્યું રાજીનામું

ગાંધીનગર :

ગઈકાલે શ્રી જયંતીભાઈ ભાનુશાલીએ તેમના પર થયેલી બળાત્કારની ફરિયાદના અનુસંધાનમાં તટસ્થ તપાસ અને જ્યાં સુધી નિર્દોષ સાબિત ના થાય ત્યાં સુધી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષપદેથી રાજીનામુ આપી પક્ષની જવાબદારીઓમાંથી મુક્ત કરવા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીને વિનંતી કરી છે. આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે સુરતના વરાછા પોલીસ સ્ટેશન માં નિધિ અશોકભાઈ બારવળિયા નામની યુવતીએ કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલી દ્વારા અસ્લીલ વિડીયો ક્લિપિંગ ઉતારી બ્લેક મેલીંગ કરવાની તેમજ બળાત્કાર અને ધાક-ધમકીની ફરીયાદ નોંધાવી હતી.  જોકે, ભાનુશાલી પોતાની સામે લાગેલા આક્ષપો ખોટા હોવાની સ્પષ્ટતા કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x