ગાંધીનગર

વાવોલ ખાતે કલેકટર ડો. કુલદીપ આર્ય નાં હસ્તે બાળકોને સ્કુલ બેગ કીટનું વિતરણ કરાયું

ગાંધીનગર :

ગાંધીનગર ની પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરતી અગ્રણી સંસ્થા એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલના બાળકોની પ્રતિભાને ઉજાગર કરવાના હેતુથી અને એમને પ્રોત્સાહિત કરવા ગાંધીનગર નાં વાવોલ ગામે સરકારી શાળાના બાળકોને સ્કુલ બેગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરનાં કલેકટરશ્રી માનનીય ડો. કુલદીપ આર્ય (IAS) Naa વરદ હસ્તે શાળાના બાળકોને સ્કૂલ બેગ કીટ વિતરણ કરવામાં આવ્યુ અને ત્યારબાદ ચકલી બચાવો અભિયાન અને વડ વાવો અભિયાન અંતર્ગત પ્રકૃતિ પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ અભિયાન હેતુ બાળકોને સંદેશ પાઠવીને પર્યાવરણની રક્ષા માટે એક બાળ એક વૃક્ષ નો સંકલ્પ લેવામાં આવ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x