રાષ્ટ્રીય

કાશ્મીરમાં બેન્ક મેનેજરની ગોળી મારીને હત્યા કરાઈ

ભારત દેશમાં જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ એક બેંક મેનેજરને નિશાન બનાવીને તેની હત્યા કરવામાં આવી છે. બેંક મેનેજરનું નામ છે વિજય કુમાર છે અને તે રાજસ્થાનનો વતની છે. અગાઉ સાંબામાં રહેતી શિક્ષિકા રજની બાલાની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે.

જણાવવામાં આવી રહ્યું છે કે વિજય કુમાર કુલગામના મોહનપોરામાં સ્થાનિક ગ્રામીણ બેંકમાં મેનેજર હતા. આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. જેમાં તેમનું મૃત્યુ થયું હતું. તે રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.તમને જણાવી દઈએ કે આતંકવાદીઓએ મંગળવારે હિન્દુ શિક્ષિકા રજની બાલાની હત્યા કરી હતી. આતંકવાદીઓએ સાંબાની રહેવાસી શિક્ષિકા પર શાળાની અંદર બાળકોની સામે જ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

આતંકવાદીઓ ઘાટીમાં હિન્દુ નાગરિકો અને સરકારી કર્મચારીઓને સતત નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ દ્વારા કુલગામમાં એક મહિલા શિક્ષકની હત્યાના વિરોધમાં પણ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. કાશ્મીરી પંડિતોએ માંગ કરી હતી કે તમામ સ્થળાંતરિત સરકારી કર્મચારીઓને સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x