ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્ય ના મહાનગરો માં ટ્રાફિક નિયમન અને પાર્કિંગ પ્લેસ ખુલ્લા કરવા આપ્યા આદેશ.

ગાંધીનગર.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્ય ના તમામ મહાનગરો માં અમદાવાદ મહાનગર જેમ જ ટ્રાફિક નિયમન અને પાર્કિંગ પ્લેસ ખુલ્લા કરી નાગરિકો ને વાહન યાતાયાત અને વાહન પાર્કિંગ ની કોઈ સમસ્યા ન રહે અને સગવડતા મળે તે માટેની ઝુંબેશ તાત્કાલિક શરૂ કરવા આદેશો આપ્યા છે..
મુખ્યમંત્રીશ્રી ના આ આદેશો નો ત્વરિત અમલ કરવા આજે મોડી સાંજે રાજ્યના મુખ્ય સચિવ ડો.જે એન સિંહે ડી.જી.પી શિવાનંદ ઝહા ગૃહ ના અધિક મુખ્ય સચિવ તિવારી તેમજ શહેરી વિકાસ ના અગ્ર સચિવ મુકેશ પુરી ને સાથે રાખી અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર જામનગર જૂનાગઢ અને ગાંધીનગર ના મ્યુનિસિપલ કમિશ્નરો અને પોલીસ કમિશ્નરો સતા વાહકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ને આ આદેશો નાં ચુસ્ત અને કડક પાલન માટે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી એ સી એમ કોમન મેન તરીકે ની તેમની છબિ ઉજાગર કરતાં મહાનગરો ના કોમન મેન માટે આ સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x