ગુજરાતરાષ્ટ્રીય

ખેડૂતોને લોભાવવા મોદી સરકારના હવાતિયા, 2019 ચૂંટણી પહેલા કરી શકે છે આ મોટી જાહેરાત

નવી દિલ્હીઃ

તાજેતરમાંજ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર મળ્યા બાદ મોદી સરકાર સફારી જાગી છે. હવે મોદી સરકારના નિશાન ખેડૂતો છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરતાંની સાથે જ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી દીધી છે, આને લઇને હવે મોદી સરકાર હરકતમાં આવી છે. માનવામાં આવે છે કે 2019 ચૂંટણી પહેલા કંઇક નવી જાહેરાત પણ કરી શકે છે.
એવું લાગી રહ્યું છે કે મોદી સરકાર દેશના ખેડૂતોની લોભાવવાની દિશામાં કામ કરી રહી છે. સુત્રોનું માનીએ તો 2019ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો માટેના અનેક પ્રકારની પ્રોત્સાહન યોજનાઓ લૉન્ચ કરી શકે છે, એટલું જ નહીં આમાં મોટુ નાણાંકીય પેકેજ પણ સામેલ હોઇ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x