ગાંધીનગરગુજરાત

‘નરેન્દ્ર મોદી સફળ કોમ્યુનિકેટર’ પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

ગાંધીનગર :
મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત પાર્થ પટેલ દ્વારા લિખિત પુસ્તક ‘નરેન્દ્ર મોદી સફળ કોમ્યુનિકેટર’નું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વિમોચન કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન-મિશન અને સ્ટ્રેટેજીને સાંકળતી તેમને કોમ્યુનિકેશન કુશળતા માટે સમગ્ર વિશ્વમાંથી સન્માન મળી રહ્યુ છે. આ પુસ્તક જાહેર જીવન સાથે જોડાયેલ પ્રત્યેકને રાષ્ટ્રભક્તિની પ્રેરણારૂપ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે ‘નરેન્દ્ર મોદી સફળ કોમ્યુનિકેટર’ પુસ્તક માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ અને સંશોધન ક્ષેત્રના અભ્યાસઓને મદદરૂપ બનશે. તેમણે પાર્થ પટેલના પ્રથમ પ્રકાશન પ્રસંગે અભિનંદન આપી શુભકામનો પાઠવી હતી. આ પુસ્તકમાં શ્રી નરેન્દ્રભાઇની કોમ્યુનિકેશન કુશળતાના વિવિધ આયામોની ચર્ચા કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x