ગાંધીનગરગુજરાત

ચૌદમી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર તા.૦૨ જૂલાઇથી મળશે : પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર :

● ૨૦ બેઠકોમાં સરકારી વિધેયકો, વિનીયોગ વિધેયક
અને કર સંબંધિ વિધેયકો હાથ ધરાશે.
*********
વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા જણાવ્યું છે કે ચૌદમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર આગામી તા. ૦૨/૦૭/૨૦૧૯ને મંગળવારથી મળશે. સત્રના પ્રથમ દિવસે સન – ૨૦૧૯/૨૦ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. ગત સત્રમાં એપ્રિલ, મે, જૂન અને જૂલાઇ એમ ચાર મહિના માટે લેખાનુદાન – વોટ ઓન એકાઉન્ટ લેવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે આ સત્રમાં સરકારી વિધેયકો, વિનીયોગ વિધેયક અને કર સંબંધિ વિધેયકો હાથ ધરવામાં આવશે. સત્ર દરમ્યાન કુલ ૨૦ બેઠકો મળશે અને તા. ૨૫/૦૭/૨૦૧૯ના રોજ સત્ર સમાપ્ત થશે. સત્ર દરમ્યાન બિન સરકારી કામકાજ ત્રણ દિવસ ચાલશે, અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા ચાર દિવસ ચાલશે, વિભાગવાર માંગણીઓ ઉપરની ચર્ચા બાર દિવસ ચાલશે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x