ગુજરાતરાષ્ટ્રીય

આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની 13 ફેબ્રુઆરીએ બેઠક મળશે

આમ આદમી પાર્ટી આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની 13 ફેબ્રુઆરીએ બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાત, હરિયાણા અને ગોવાની લોકસભાની બેઠકો માટેના ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવશે. અરવિંદ કેજરીવાલે પહેલા જ ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી ચુક્યા છે. ચૈતર વસાવાને ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી ભરૂચ બેઠક પરથી ઉતારી શકે છે.

બીજી તરફ ગુજરાતના AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને પણ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે. લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં લડી શકે છે. AAPના ગુજરાતના પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે, કોંગ્રેસ તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નહતો અને કહેવામાં આવ્યું કે યોગ્ય નિર્ણય પાર્ટી હાઇકમાન લેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x