રમતગમત

ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી, કોહલી સિરીઝમાંથી બહાર

આજે બીસીસીઆઈ દ્વારા ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો સમાવેશ કરાયો નથી. વિરાટ કોહલી અંગત કારણોસર ટીમનો ભાગ નથી. આ સાથે જ ટીમમાં ફાસ્ટ બોલર આકાશ દીપ સિંહને તક આપવામાં આવી છે.
વિરાટ કોહલી અંગત કારણોસર સિરીઝની બાકીની મેચો માટે અનુપલબ્ધ રહેશે. બોર્ડ વિરાટ કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે. આ સાથે જ રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની વાપસી BCCIની મેડિકલ ટીમની ફિટનેસ ક્લિયરન્સને આધારિત છે.
ટીમઃ રોહિત શર્મા (C), જસપ્રિત બુમરાહ (VC), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (WK), કેએસ ભરત (WK), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x