રાષ્ટ્રીય

હરિયાણાના મહેન્દ્રગઢમાં ખાનગી શાળાની બસને નડ્યો અકસ્માત, 5 છાત્રોના ઘટના સ્થળે મોત, 15 ઘાયલ

હરિયાણાના મહેન્દ્રગઢ જીલ્લામાં ભીષણ માર્ગ અકસ્માતમાં પાંચ બાળકોના મોત થયા છે. જ્યારે કે અનેક બાળકો ઘાયલ છે. આજે સવારે એક પ્રાઈવેટ શાળાની બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ. દુર્ઘટના કનીના કસ્બાની પાસે કનીના દાદરી માર્ગ પર થઈ. અત્યાર સુધી પ્રશાસને પાંચ બાળકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે ડઝનેક બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.અકસ્માતમાં ઘાયલ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોના ઘરોમાં શોકનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ખૂબ જ સ્પીડમાં હતી. આ અકસ્માતમાં અનેક બાળકોને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x