ગુજરાત

ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે છેલ્લા 9 દિવસમાં 1549 લોકો થયા બેભાન, માથાનો દુખાવો, ઝાડા-ઉલટી સહિતના કેસ વધ્યા

ઝાડા ઉલટીને લગતા કેસમાં 32 ટકા અને માથાના દુખાવાની તકલીફમાં એકંદરે 27 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે છેલ્લા નવ દિવસમાં એક હજાર 549 લોકો ચક્કર ખાઈને બેભાનવ થયા. આ દર્દીઓને સારવાર માટે 108ની મદદથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પેટમાં દુખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવું, માથાનો દુખાવો સહિતની વિવિધ ગરમી સંબંધીત બીમારીના રાજ્યમાં છેલ્લા નવ દિવસમાં સાત હજાર 342 કોલ્સ 108ને આવ્યા.

જેમાં ઝાડા ઉલટીને લગતા કેસમાં 32 ટકા અને માથાના દુખાવાની તકલીફમાં એકંદરે 27 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. તો રાજ્યમાં 40 દિવસમાં ગરમી સંબંધીત બીમારાના 108ને 33 હજાર કોલ્સ આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 9 હજારથી વધુ કોલ્સ મળ્યા, જેમાં બેભાન થવાના એક હજાર 815 કેસ, પેટમાં દુખાવાના ત્રણ હજાર 551 કેસ ઈમરજંસી સર્વિસને મળ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x