ગાંધીનગરગુજરાત

પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 2021માં અમદાવાદ ખાતે ઉજવાશે.

અમદાવાદ :
બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના આદ્યાત્મિક વડા અને વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ 13 ઓગસ્ટ 2016ના દિવસે 95 વર્ષે સારંગપુરમાં બ્રહ્મલીન થયા હતા. BAPSના દેશ-વિદેશ ખાતે રહેતાં કરોડો અનુયાયીઓ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે થનગની રહ્યા છે ત્યારે બોચાસણ ખાતે તાજેતરમાં યોજાયેલી એક સભામાં વડીલ સંત કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીએ અગત્યની જાહેરાત કરતાં જણાવ્યું હતુ કે, વર્ષ 2021માં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે શાનદાર રીતે ઉજવવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે આ શતાબ્દી મહોત્સવ 34 દિવસનો રહેશે. જેનો પ્રારંભ 9 નવેમ્બર,2021 કારતક સુદ પાંચમે (લાભ પાંચમ) થશે અને પૂર્ણાહુતિ 10 ડિસેમ્બર,2021 માગસર સુદ આઠમના દિવસે થશે.

મહોત્સવની વિશાળ ભૂમિ પર સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવશે. જેમાં ભવ્ય દરવાજા, કલાત્મક મંદિરો, આદર્શ ભક્તોનાં રમણીય સ્પોટ, પ્રેરક પ્રદર્શનો વગેરે અનેક જોવાલાયક આકર્ષણો બનાવવામાં આવશે.શતાબ્દી મહોત્સવનાં સભામંડપમાં રોજ સાંજે પૂજય મહંતસ્વામી મહારાજની હાજરીમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવમાં દેશ-વિદેશનાં લાખો લોકો પધારીને ઉન્નત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x