ગાંધીનગર

ગાંધીનગરની રાતો બની રક્તરંજિત, બે અકસ્માતમાં બે લોકોના મોત

ગાંધીનગરની શાંત રાતોમાં ગત મોડી રાત્રે બે ગમખ્વાર અકસ્માતોએ હાહાકાર મચાવ્યો હતો. મહાત્મા મંદિર નજીક ખ રોડ પર ત્રણ ગાડીઓ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત થયું હતું. ગાડીઓ એટલી જોરથી અથડાઈ હતી કે તેનો ભુક્કો બોલી ગયો હતો. બીજી તરફ, કડી-છત્રાલ રોડ પર એક બુલેટ ચાલકે યુવકને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાઓએ ગાંધીનગરના ટ્રાફિક વિભાગની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. છેલ્લા એક મહિનાથી ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માતો ઘટાડવા માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ છતાં, વાહનચાલકોની બેફામ ગતિએ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. શહેરમાં અને જિલ્લામાં અકસ્માતોની વણઝાર યથાવત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x