રાષ્ટ્રીય

કોલકાતા હોટલમાં ભીષણ આગ: 14 લોકોના મોત, અનેક ઘાયલ

ગઈકાલે રાત્રે કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની હતી. બુર્રાબજાર વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટલમાં અચાનક આગ લાગી જતાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ જણાવ્યું કે રાત્રે આઠ વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ અને બચાવ ટીમે અત્યાર સુધીમાં 14 મૃતદેહો બહાર કાઢ્યા છે અને કેટલાક લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x