ગાંધીનગર જિલ્લા માટે અનામત કક્ષાના વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ફાળવવા જોગ
ગાંધીનગર શહેરી વિસ્તાર માટે અનામત કક્ષાના વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ફાળવવા માટેનો કાર્યક્રમ, વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત તા.૧૫/૦૫/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી જાહેર રજા અને રવિવાર સિવાય, સવારે ૧૧:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી, સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર, સેક્ટર-૭, મુખ્ય શોપિંગ સેન્ટર ની બાજુમાં, બગીચાની સામે ગાંધીનગર ખાતે ફોર્મ વિતરણ કરવામાં આવશે.
ત્યારબાદ તા.૧૬/૦૫/૨૦૨૫થી તા.૨૧/૦૫/૨૦૨૫ સુધી જાહેર રજા અને રવિવાર સિવાય, ૧૧:૦૦થી ૦૫:૦૦ના સમયગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર ખાતે જ ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે.
પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની મેરીટ યાદી તા.૨૨/૦૫/૨૦૨૫ ના રોજ ૧૧:૦૦ કલાકથી જાહેર કરવામાં આવશે, તથા પ્રવેશ પ્રક્રિયા તા.૨૩/૦૫/૨૦૨૫થી શરુ થશે. પ્રવેશ પ્રક્રિયા માટે એસ.સી કેટેગરીના વિદ્યાર્થીઓ નો સમય ૧૦:૩૦ થી ૧૧:૩૦,એસ.ટી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ૧૧:૩૦થી ૧૨:૩૦ તથા એસ.ઈ.બી.સી માટે ૧૨:૩૦થી ૦૧:૩૦ અને ઈ.ડબ્લુ.એસ માટે ૦૨:૦૦થી ૦૩:૦૦ કલાક સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે,તેમ જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.