ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા માટે અનામત કક્ષાના વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ફાળવવા જોગ

ગાંધીનગર શહેરી વિસ્તાર માટે અનામત કક્ષાના વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ફાળવવા માટેનો કાર્યક્રમ, વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત તા.૧૫/૦૫/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી જાહેર રજા અને રવિવાર સિવાય, સવારે ૧૧:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી, સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર, સેક્ટર-૭, મુખ્ય શોપિંગ સેન્ટર ની બાજુમાં, બગીચાની સામે ગાંધીનગર ખાતે ફોર્મ વિતરણ કરવામાં આવશે.

ત્યારબાદ તા.૧૬/૦૫/૨૦૨૫થી તા.૨૧/૦૫/૨૦૨૫ સુધી જાહેર રજા અને રવિવાર સિવાય, ૧૧:૦૦થી ૦૫:૦૦ના સમયગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર ખાતે જ ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે.

પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની મેરીટ યાદી તા.૨૨/૦૫/૨૦૨૫ ના રોજ ૧૧:૦૦ કલાકથી જાહેર કરવામાં આવશે, તથા પ્રવેશ પ્રક્રિયા તા.૨૩/૦૫/૨૦૨૫થી શરુ થશે. પ્રવેશ પ્રક્રિયા માટે એસ.સી કેટેગરીના વિદ્યાર્થીઓ નો સમય ૧૦:૩૦ થી ૧૧:૩૦,એસ.ટી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ૧૧:૩૦થી ૧૨:૩૦ તથા એસ.ઈ.બી.સી માટે ૧૨:૩૦થી ૦૧:૩૦ અને ઈ.ડબ્લુ.એસ માટે ૦૨:૦૦થી ૦૩:૦૦ કલાક સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે,તેમ જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *