વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મહત્ત્વનો નિર્ણય
વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, જૂન મહિનામાં શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને નિર્ણય લેવાયો છે. જૂન મહિનામાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.