રાષ્ટ્રીય

વકફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો

બુધવારે સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદાને લગતી મહત્ત્વપૂર્ણ સુનાવણીનો બીજો દિવસ શરૂ થયો હતો. આ સુનાવણીમાં કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો કાનૂની પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો.

સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે વકફ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો અંગે વ્યાપક ચર્ચા અને સલાહસૂચન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.

તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આ વિષય પર ૯૭ લાખથી વધુ લોકો તરફથી સૂચનો પ્રાપ્ત થયા હતા અને વિવિધ સ્તરે બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ સુધારાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x