ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત બોર્ડર પર વાયુસેનાનો મેગા સૈન્ય અભ્યાસ: રાફેલ, સુખોઈ-૩૦ અને જગુઆર જોડાશે

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા અને પાકિસ્તાન દ્વારા સરહદી રાજ્યો પર સંભવિત હુમલાના પ્રયાસોને પગલે, ભારતીય વાયુસેના ગુજરાત સરહદ પર સૈન્ય અભ્યાસ યોજવા જઈ રહી છે. આજે, ૪ જૂનના રોજ બપોરે ૩:૩૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી ગુજરાતના દરિયાકિનારે આ સુનિશ્ચિત કવાયત હાથ ધરાશે.

આ અભ્યાસ માટે ઉડ્ડયન કર્મચારીઓને કામચલાઉ હવાઈ ક્ષેત્ર પ્રતિબંધો અંગે ચેતવણી આપવા માટે ‘નોટમ’ (Notice to Airmen) જાહેર કરવામાં આવ્યું છે. આ કવાયતમાં રાફેલ, સુખોઈ-૩૦ અને જગુઆર સહિતના અગ્રણી ફાઈટર એરક્રાફ્ટ ભાગ લેશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાની યુદ્ધની તૈયારી, દુશ્મનના લક્ષ્યોને ટાર્ગેટ કરવાની ક્ષમતા અને હુમલાની ચોકસાઈનું પરીક્ષણ કરવાનો છે. આ સૈન્ય અભ્યાસ વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ક્ષેત્રમાં ઓપરેશનલ તૈયારીઓને મજબૂત બનાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *