રાષ્ટ્રીય

અનાર પટેલ બાદ રૂપાણીનું ગીર જંગલ જમીન કૌભાંડ

ગાંધીનગર :

ગુનેગાર ભાજપના નેતા દીનુ સોલંકીને રૂપાણીએ ગીરના જંગલમાં જમીન આપી, સિંહનું જીવન જોખમમાં મૂકી જંગલમાં ખાણો ખોદશે, ખાણ માફિયાને જમીન આપવામાં કાયદાઓનો ભંગ

CBI અદાલતે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતને આજીવન કેદની સજા કરી છે. ગીરના સિંહ બચાવવા માટે ગેરકાયદે ખાણો સામે લડતાં રહેલા અમિત જેઠવા જેલમાં રહેલા ભાજના નેતાને ગુજરાતની રૂપાણી સરકારે ગીરના જંગલમાં જમીન આપી દીધી છે. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને ભાજપના નેતા ડો.મફતભાઈ પટેલની પુત્રી અને ગાંધી આશ્રમમાં ગાંધીજીના મિલકતો પચાવી લેનારા જયેશ પટેલના પત્ની અનાર પટેલનું ગીરમાં જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ હવે રૂપાણી સરકારનું ગીરના જંગલમાં ભાજપના નેતા અને અમિત જેઠના હત્યારા દીનુ સોલંકીને ગીરની જમીન આપી દેવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.

સિંહ સામે જોખમ

20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મી.ની અંદર 3.2375 હેક્ટર (32,375 મીટર) જમીન ખાણ માટે વિજય રૂપાણીએ આપી દીધી હતી. જે ખરેખર તો 10 કિ.મી. સુધીના વિસ્તારમાં આપી શકાય નહીં. તેમ છતાં જ્યાં સિંહ અને જંગલના પ્રાણીઓની વસતી છે ત્યાં શીવ મીનરલ્સને લાઈમ સ્ટોન કાઢવા માટે જમીન આપીને રૂપાણી સરકારે મોટું કૌભાંડ કર્યું હતું. ઘંટવડમાં જમીન આપીને સિંહ સાથે રમત રમી હતી.

રૂપાણી સરકારે જમીન આપીને તેની મંજૂરી આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારને ભલામણ પણ કરી હતી.

6 શરતો મૂકી

વન્ય પ્રાણી અને વનસ્પતિને કોઈ અસર ન થવી જોઈએ.

પાણીના કુદરતી વહેણમાં કોઈ ખલેલ ઊભી ન થાય તે જોવું પડશે. બાંધકામ કરી શકશે નહીં,

અભયારણ્ય વિસ્તારમાં પ્રદુષિત પાણી કે પદાર્થ નહીં છોડી શકે.

ખાણની આસપાસ 10 મીટર વૃક્ષો ઊગાડવાના રહેશે.

ખાણ ખોદીને તેમાંથી ચૂનાનો પથ્થર કાઢી લીધા બાદ મૂળ જમીન જેવી સ્થિતી લાવવાની રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x