ahemdabadગુજરાત

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા ૧૧ જૂને: રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં

અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાની તૈયારીઓ પુરઝડપે ચાલી રહી છે. અષાઢી બીજ પહેલાં, આગામી ૧૧ જૂનના રોજ સવારે ૮ વાગ્યે ભગવાનની ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાબરમતી નદીમાંથી ૧૦૮ કળશમાં જળ ભરીને ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. આ શોભાયાત્રામાં હાથી, બેન્ડવાજા, ભજન મંડળી અને અખાડા સહિતના ઘટકો જોડાશે. મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના સંતો-મહંતોની હાજરીમાં જળ ભરવાની વિધિ થશે. જળાભિષેક બાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે અને મહાપ્રસાદ યોજાશે. જળયાત્રા પછી ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી સરસપુર ખાતે મામાના ઘરે જશે. રથયાત્રા માટે રથોને રંગકામ પૂર્ણ કરી દેવાયું છે, જેમાં ભગવાન જગન્નાથના રથને પીળો, સુભદ્રાજીના રથને લાલ અને બલરામના રથને લીલો રંગ અપાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *