નર્સિંગા વીર બાવજી ના પૂજારી શ્રી બાલકૃષ્ણ રાવલનો વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની સરાહનીય કામગીરીને બિરદાવતા ભાવિક ભક્તો
છેલ્લા એકાદ વર્ષથી વડાલી તાલુકાના નાદરી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ નારસિંગા વિરબાવજીના મંદિરના પૂજારી તરીકે સેવા આપતા શ્રી બાલકૃષ્ણભાઈ રાવલ દ્વારા પૂજા -અર્ચના ઉપરાંત નિયમિત આજુ બાજુ રહેતા કુતરાઓ માટે દૂધ અને બિસ્કીટ ની વ્યવસ્થા કરવી, સાથે સાથે વીરબાવજીના જે નિયમિત થાળ ધરાવવાના પાત્રો જેવા કે થાળી ,વાટકી, ગ્લાસ,ને પણ ચાદીના પાત્રોની વ્યવસ્થા કરવી (જેની કિંમત આશરે 1 લાખ રૂપિયાની આસપાસ થાય છે )જેની વ્યવસ્થા કરવી, આજુબાજુમાં સ્કૂલમાં ભણતા બાળકોને નોટબુકનું વિતરણ કરવું,અગાઉ તેમના જ પરિવારના મોભીએ(રાવલ પ્રહલાદભાઈ જમનીરામ) વીર બાવજી મંદિરના પટાંગણમાં ખૂબ જહેમત ઉઠાવી વૃક્ષો રોપીને તેનું પાલન કરેલ.જે આજે વટ વૃક્ષ સમાન બની રહેલ છે.જેનું “પ્રહલાદ વન” તરીકે ઓળખાવી આ વૃક્ષો તેમજ ગરુડેશ્વર મંદિરના પરિસરમાં આવેલા વૃક્ષો ને પણ રંગ રોગાન કરી ૫ જૂન જે વિશ્વ પર્યાવરણ દિન તરીકે આપણે સૌ ઉજવીએ છીએ જેને સાચા અર્થમાં સાર્થક કરી બતાવેલ છે. આવી અદભુત સેવારૂપી કામગીરી કરેલ છે જે પુજારી શ્રી ની સેવા નિષ્ઠા અને પ્રાણીઓ પ્રત્યેની ભાવનાને ભાવિક ભક્તો બિરદાવી અભિનંદન આપી રહ્યા છે.ખરેખર પૂજારી શ્રી બાલકૃષ્ણ ભાઈની અદ્ભુત સેવા કા્યો બિરદાવ્યા રહ્યા