ગુજરાતમાં જળબંબાકાર: અતિભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ગાંધીનગર: રાજ્યભરમાં મેઘરાજાની મહેરબાની અવિરત ચાલુ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, ગુજરાતના 142 તાલુકાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઇંચ અને તિલકવાડામાં 7.13 ઇંચ નોંધાયો છે, જેણે આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.
વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેને પગલે જનજીવન અને વાહનવ્યવહાર પર અસર પડી છે. કુલ 36 તાલુકાઓમાં 2 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે 76 તાલુકાઓમાં 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 186.51 મિમિ (21.15%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે.