રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટુ-વ્હીલરને પણ ટોલ: ૧૫ જુલાઈથી FASTag ફરજિયાત
દેશના લાખો બાઈક ચાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ૧૫ જુલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટુ-વ્હીલર વાહનો પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. આ નિર્ણય સાથે હવે ટુ-વ્હીલર ચાલકો માટે FASTagનો ઉપયોગ ફરજિયાત બનશે. અત્યાર સુધી મોટર કે મોટા વાહનો પાસેથી જ ટોલ લેવાતો હતો, જ્યારે બાઈક અને સ્કૂટર માટે નોંધણી સમયે એકસાથે ટોલની રકમ વસૂલાતી હતી. પરંતુ નવા નિયમ હેઠળ, જો કોઈ વાહન ચાલક નિયમનું પાલન નહીં કરે અથવા ટોલ ચૂકવશે નહીં, તો તેને રૂપિયા ૨,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જાળવણી અને વિકાસ માટે ભંડોળ એકત્ર કરવાનો છે, જોકે તેનાથી નિયમિત ધોરીમાર્ગનો ઉપયોગ કરતા ટુ-વ્હીલર ચાલકોનો ખર્ચ વધશે.