આપના બોટાદના MLA ઉમેશ મકવાણાએ તમામ પદ છોડ્યા
અમદાવાદ: વિસાવદર પેટાચૂંટણીમાં વિજય બાદ આમ આદમી પાર્ટી (AAP) માં ઉજવણીનો માહોલ છે, ત્યારે ગુજરાત પ્રદેશમાં પક્ષના આંતરિક વિખવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ AAP ના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, સામાજિક સેવાઓમાં ઘટાડો થવાને કારણે તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે, અને એક કાર્યકર તરીકે પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખશે.
મકવાણા અઢી વર્ષથી રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને ગુજરાત વિધાનસભામાં AAP ના નેતા તરીકે સેવા આપી રહ્યા હતા. જોકે, તેમણે પક્ષ છોડવા પાછળનું મુખ્ય કારણ દર્શાવતા જણાવ્યું કે, તેમને લાગે છે કે AAP ડૉ. બી.આર. આંબેડકરના સિદ્ધાંતોથી ભટકી રહી છે. ભૂતકાળમાં ૨૦ વર્ષ ભાજપમાં રહ્યા બાદ AAP માં જોડાયેલા મકવાણા હવે બોટાદના લોકો વચ્ચે જઈને નવી પાર્ટી બનાવવા અંગે પણ ચર્ચા કરશે.