ahemdabadગુજરાત

અમદાવાદ રથયાત્રા: આસ્થા, ઇતિહાસ અને ભવ્યતા સાથે ભગવાન જગન્નાથની ભક્તિ યાત્રા

અમદાવાદમાં રથયાત્રા પર્વ અષાઢી બીજના દિવસે ઉજવાય છે, જે ભારતની સૌથી મોટી અને પ્રાચીન રથયાત્રાઓમાંની એક છે. આ યાત્રા 1878થી શરૂ થઈ હતી અને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓને ભવ્ય રીતે શોભાયાત્રામાં મંદિરથી સરસપુર સુધી લઈ જવાય છે. ભક્તો માને છે કે આ દિવસે ભગવાન સ્વયં મંદિરની બહાર આવીને તમામને આશીર્વાદ આપે છે, ખાસ કરીને તેઓને જે મંદિરે જઈ શકતા નથી. યાત્રા પહેલા મંગળા આરતી અને મુખ્યમંત્રી દ્વારા ‘પહિંડ વિધી’ થાય છે, ત્યારબાદ ભવ્ય રથયાત્રા શરૂ થાય છે. આ ઉત્સવ માત્ર ધાર્મિક નહીં, પણ સામાજિક અને સાંસ્કૃતિક એકતા પ્રગટાવે છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *