ગુજરાત

વલસાડમાં Strict Action: ખાડાના કારણે મૃત્યુ થાય તો રોડ કોન્ટ્રાક્ટર પર Criminal Case

વડોદરાના મુજપુર બ્રિજ દુર્ઘટના બાદ, વલસાડ જિલ્લાના કલેક્ટર (Collector) ડી. આર. પટેલ (D. R. Patel) એ રસ્તાની ખરાબ હાલત અંગે મોટો અને કડક નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું છે કે, ચોમાસામાં જો રસ્તા પરના ખાડાને કારણે કોઈ વ્યક્તિનો જીવ જશે, તો જવાબદાર રોડ કોન્ટ્રાક્ટર (Road Contractor) સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-106 (ગુનાહિત બેદરકારીથી માનવ મૃત્યુ) અને કલમ-223 (જાહેર જનતાને મુસાફરીમાં અડચણ) હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 (NH-48) પર વરસાદને કારણે પડેલા ખાડાઓથી અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ને વારંવાર જાણ કરવા છતાં સુધારા ન થતા, કલેક્ટરે આ ડિસીઝન (decision) લીધું છે. આ આદેશ કોન્ટ્રાક્ટરોને સમયસર અને યોગ્ય રીતે રસ્તાઓની મરામત કરવા માટે જવાબદાર ઠેરવશે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે. આ એક પ્રોએક્ટિવ સ્ટેપ (proactive step) છે જે ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવામાં મદદ કરી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *