ગાંધીનગર

ગાંધીનગરમાં મેઘરાજાનું પુન:આગમન, ખેડૂતોમાં આનંદની લાગણી

ગાંધીનગર: લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ગાંધીનગર જિલ્લામાં ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. શુક્રવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદના કારણે ઉભા પાકને જીવતદાન મળ્યું છે અને ખેતીની ચિંતામાં રહેલા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ એકાએક વિરામ આવી ગયો હતો, જેના કારણે ડાંગર, કપાસ, મગફળી અને અન્ય ચોમાસુ પાક સુકાઈ રહ્યા હતા. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ચિંતિત હતા અને આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. આજે વહેલી સવારથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. આ વરસાદ ડાંગર સહિતના ચોમાસુ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. આ વરસાદથી માત્ર પાકને જ ફાયદો નથી થયો, પરંતુ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, જેનાથી સામાન્ય જનજીવનને પણ રાહત મળી છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને કારણે ખેડૂતોને આશા છે કે આ વર્ષે ચોમાસુ સારું રહેશે અને સારો પાક ઉતારી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *