ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતમાં ‘સમાન કામ, સમાન વેતન’નો મુદ્દો ગરમાયો: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોન્ટ્રાક્ટ પ્રથા પર સવાલો

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ગુજરાતના સહાયક પ્રોફેસરોને લઈને ‘સમાન કામ, સમાન વેતન’ના સિદ્ધાંત પર આપેલો ચુકાદો રાજ્યમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના શોષણના મુદ્દાને ફરી એકવાર કેન્દ્રમાં લાવ્યો છે. આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે ટિપ્પણી કરી છે કે શિક્ષકો અને અધ્યાપકોનું આર્થિક શોષણ કરવાને બદલે તેમને તેમના કામ મુજબ યોગ્ય વેતન મળવું જોઈએ.

છેલ્લા 15-20 વર્ષથી ગુજરાતમાં સરકારના વિવિધ વિભાગો, બોર્ડ અને નિગમોમાં સાત લાખથી વધુ કર્મચારીઓ કરાર આધારિત કામ કરીને ઓછા પગારે નોકરી કરવા મજબૂર છે. એમ.બી. શાહ કમિશને પણ કરાર પ્રથા નાબૂદ કરવાની ભલામણ કરી હોવા છતાં રાજ્ય સરકારે આ દિશામાં કોઈ નક્કર પગલાં લીધા નથી.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણીમાં કહેવાયું છે કે, “અધ્યાપકો અને શિક્ષકો એ દેશના ઘડતર માટેની ભૌતિક સંપદા છે. તેમના માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ શ્લોકનું ગાન પૂરતું નથી.” આ ટિપ્પણી ગુજરાત સરકારની કરાર આધારિત નીતિઓ પર સીધો પ્રહાર છે, જે શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ કરી રહી હોવાનું માનવામાં આવે છે. ભૂતકાળમાં, ગુજરાત હાઈકોર્ટે પણ ફિક્સ પગાર પ્રથાને ગેરબંધારણીય ઠેરવી હતી, પરંતુ રાજ્ય સરકારે હાઈકોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

આમ, સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાથી લાંબા સમયથી ચાલી રહેલી કરાર પ્રથા અને આર્થિક શોષણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે, અને ગુજરાતને ‘આર્થિક શોષણના મોડેલ’ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *