જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૩ સપ્ટેમ્બરે ગાંધીનગરના કોસમોસ મેનપાવર પ્રા.લી. ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૩/૦૯/૨૦૨૫નાં રોજ સવારે ૧૦ કલાકે કોસમોસ મેનપાવર પ્રા. લી., બી-૧૮૩/૧૮૪, જી.આઈ.ડી.સી.. સેક્ટર-૨૫, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં કોસમોસ મેનપાવર પ્રા.લી. ગાંધીનગર દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડના કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઈ.ડી JF573584034 છે.
ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે, એમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.