રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૩૯૨૫૯૪ બાળકોને એલ્બેંડાઝોલ દવાનું વિતરણ કરાયું
ગાંધીનગર
સરકારશ્રી દ્વારા દર વર્ષે વર્ષમાં બાળકોને નિ: શુલ્ક બે વાર કૃમિનાશક દવા આપવામાં આવે છે. આ માટે દર વર્ષે ૧૦ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે(NDD) ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને સામુહિક રીતે ગોળી આપવામાં આવે છે. આ વર્ષે પણ તા. ૧૦ ફેબ્રુઆરી-૨૬ નેશનલ ડી વોર્મિંગ ડે અને તેના મોપ અપ રાઉન્ડ તા. ૧૭ ફેબ્રુઆરી-૨૬ ના રોજ દવા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં કુલ આજે ૨૯૮૮૨૨ બાળકોને તથા ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૯૩૭૭૨ બાળકોને મળી કુલ ૩૯૨૫૯૪ આજે એલ્બેંડાઝોલ આપવામાં આવી છે. આ ગોળી અસરકારક સાથે કોઈ આડઅસર ધરાવતી નથી.
૧ થી ૨ વર્ષના બાળકોને એલબેન્ડાઝોલ ૨૦૦ mg (૪૦૦mg) ની અડધી ગોળી અને ૨ થી ૧૯ વર્ષની વયના બાળકોની અને એલબેન્ડાઝોલ ૪૦૦mg આખી ગોળી આપવાની હોય છે. બાળકોને ગોળી ચાવીને ખાવાની હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આર્યન બાળકોના માનસિક અને શારિરીક વિકાસ માટે ખુબ જ અગત્યનું સુક્ષ્મ પોષક તત્વ છે. બાળકોને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આર્યનની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવનધોરણની ગુણવત્તામાં વધારો થઇ શકે છે.

