જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૩ માર્ચના રોજ ગાંધીનગરના વાવોલ ડી-માર્ટ ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે
ગાંધીનગર તા.૧૧ માર્ચ-જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૩/૦૩/૨૦૨૬નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે ડી માર્ટ, પ્લોટ નંબર-૩૦૦, વૈદેહી-૩ ની પાસે, વાવોલ, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતા દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના ધો.૧૦ નાપાસ કે તેથી ઓછો અભ્યાસ, ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે.
આ ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી. JF860922189 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.

