ગાંધીનગરગુજરાત

ડમી સ્કૂલ-કોચિંગ માફિયાનું સામ્રાજ્ય બેફામ : સરકારની આંખ આડા કાન કેમ?

ગુજરાતમાં શિક્ષણ વિભાગના નિયમો, બોર્ડના ધોરણો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને નેવે મૂકી ડમી સ્કૂલ અને કોચિંગ ક્લાસીસનું સમાંતર સામ્રાજ્ય ધમધમી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તાજેતરમાં પ્રકાશિત અહેવાલો મુજબ કેટલીક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને માત્ર કાગળ ઉપર શાળામાં પ્રવેશ અપાઈ રહ્યો છે, જ્યારે વાસ્તવિક શિક્ષણ ખાનગી કોચિંગ ક્લાસીસમાં આપવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાની ફી વસૂલાતી હોવા છતાં શાળામાં નિયમિત હાજરી, શૈક્ષણિક પ્રક્રિયા અને શિક્ષણની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

જો શિક્ષણ વિભાગના નિયમો મુજબ શાળામાં ફરજિયાત હાજરી, માન્ય શિક્ષક સ્ટાફ અને શૈક્ષણિક માળખું જરૂરી હોય, તો પછી વર્ષોથી ચાલતી આવી ડમી સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?

*રાજ્યના નાગરિકો અને વાલીઓમાં સવાલ ઉઠી રહ્યો છે કે:*

શું શિક્ષણ વિભાગને આ પ્રવૃત્તિઓની જાણ નથી?

જો જાણ છે તો કાર્યવાહી કેમ નથી?

શું કેટલાક પ્રભાવશાળી કોચિંગ સંચાલકોને રાજકીય અથવા વહીવટી રક્ષણ પ્રાપ્ત છે?

શું સરકારની રહેમ નજર હેઠળ જ આ ગેરરીતિઓ ચાલી રહી છે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો તેમજ અનેક શિક્ષણવિદોએ અગાઉ પણ ડમી સ્કૂલો સામે તપાસ, મંજૂરી રદ કરવા અને જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. તેમ છતાં સમસ્યા યથાવત્ રહેતા સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

*રાજયના વાલીઓની માંગણીઓ :*

રાજ્યની તમામ શંકાસ્પદ ડમી સ્કૂલ અને કોચિંગ ક્લાસીસની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે.

છેલ્લા પાંચ વર્ષના પ્રવેશ, હાજરી અને પરીક્ષા રેકોર્ડનું ઓડિટ કરવામાં આવે.

નિયમભંગ કરનાર સંસ્થાઓની માન્ત#manzilnews #gandhinagar #DummySchool #EducationScam #CoachingMafia #GujaratEducation #StudentFuture #EducationSystem #SchoolScam #SaveEducation તાત્કાલિક રદ કરવામાં આવે.

શિક્ષણ સાથે છેતરપિંડી કરનાર સંચાલકો સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે.

સમગ્ર તપાસ અહેવાલ જાહેર કરીને જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ તપાસવામાં આવે.

શિક્ષણ કોઈ વેપાર નથી અને વિદ્યાર્થીઓ કોઈ કમાણીનું સાધન નથી. જો સરકાર સમયસર કાર્યવાહી નહીં કરે તો રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. હવે સમય આવી ગયો છે કે સરકાર સ્પષ્ટ કરે — ડમી સ્કૂલ અને કોચિંગ માફિયા સામે કાર્યવાહી થશે કે પછી મૌન દ્વારા તેમને આશ્રય આપવામાં આવશે?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *