ગુજરાત

ભરૂચ: ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 3 ના મોત, 7 લોકો ઘાયલ

ભરૂચ
ગુજરાત રાજ્ય ના ભરુચ ખાતે આવેલ લુવારા રોડ પર આજરોજ વહેલી સવારે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અક્સ્માત થયાની માહિતી મળી રહી છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયેલા આ અક્સ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને અન્ય 7 લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર, ભરુચના લુવારા નજીક ટ્રક ચાલકે એક ખાનગી લકઝરીને અડફેટે લીધી હતી. જેમાં સવાર 3 લોકોના મોત થયા હતા અને અન્ય સાત જેટલા લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે ભરુચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.પોલીસને અક્સ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x