રાષ્ટ્રીય

J&K: સુરક્ષાબળોએ ‘અન્સાર ગજવા ઉલ હિંદ’ ના ત્રણ આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા ત્રણે આતંકવાદીઓ આતંકવાદી સંગઠન ‘અંસાર ગજવા ઉલ હિંદ’ ના છે.
આ મુકાબલો જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં થયો હતો. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. જેમાં ઝાંજીર રફીક વાની, રાજા ઉમર મકબુલ ભટ અને ઉજ્જૈર અમીન ભટ શામેલ છે. ત્રણે આતંકવાદીઓ આતંકવાદી સંગઠન ‘અંસાર ગઝવા-ઉલ-હિંદ’ ના છે.
તમને જણાવી દઈએ કે આ એન્કાઉન્ટર મોડી રાત્રે શરૂ થયું હતું. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે લાંબા સમય સુધી ફાયરિંગ ચાલુ રહી. આતંકીઓ પાસે મોટી માત્રામાં હથિયાર હતા જેથી તેઓ સતત ફાયરિંગ કરી રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x