આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો, જાણો કેટલા નોંધાયા કેસ.

ગાંધીનગર :
રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા તથા સુરતની સ્થિતિ વધુ નાજુક છે. કારણ કે રાજ્યના સૌથી વધુ કોરોનો પોઝિટિવ દર્દીઓ આ વિસ્તારમાંથી આવેલા છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 93 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ સંખ્યા અત્યાર સુધી 1944 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 71 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 131 લોકો રીકવર થયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 1253
ગાંધીનગર – 17
સુરત – 269
વડોદરા – 188
રાજકોટ – 38
ભાવનગર – 32
કચ્છ – 6
મહેસાણા – 6
ગીર સોમનાથ – 2
પોરબંદર – 3
પંચમહાલ – 11
પાટણ – 15
છોટાઉદેપુર – 7
જામનગર – 1
મોરબી – 1
સાબરકાંઠા – 3
આણંદ – 28
દાહોદ – 3
ભરૂચ – 23
બનાસકાંઠા – 10
ખેડા – 3
બોટાદ – 5
નર્મદા – 12
અરવલ્લી – 7
મહીસાગર – 3

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x