ગુજરાતરાષ્ટ્રીય

દેશમાં ધો-12 CBSEની પરીક્ષા રદ કરાઇ, PM મોદીની અધ્યક્ષતામાં બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી :

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે CBSEની ધોરણ 12મીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પરીક્ષાને લઈને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનિય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હાઈ પ્રોફાઇલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સિવાય, શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ, શિક્ષણ મંત્રાલયના સચિવનો પણ હાજર હતા.

આ ઉપરાંત આ બેઠકમાં સીબીએસઇના અધ્યક્ષ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં પ્રધાનમંત્રીને પરીક્ષાના તમામ વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યો અને હોદ્દેદારો સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ વર્ચ્યુઅલ મીટિંગમાં શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંક, માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની ઉપરાંત તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવોએ ભાગ લીધો હતો. બેઠકમાં શિક્ષણ પ્રધાન નિશંકે રાજ્યોને 25 મે સુધી તેમના સૂચનો આપવા તાકીદ કરી હતી.

આ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક ટ્વિટમાં કહ્યું હતું કે, બાળકો અને માતા-પિતા 12મી પરીક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે, તેઓ ઇચ્છે છે કે રસીકરણ વિના 12મી પરીક્ષા ન યોજાય. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે 12મી પરીક્ષા રદ કરવામાં આવે. અને કામગીરીના આધારે તેનું મૂલ્યાંકન થવું જોઇએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x