ગુજરાત

વરસાદ ખેંચાતા ખેડૂતોના પ્રશ્નોની મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરતા ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા

વિસાવદર :
વિસાવદર ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માં ચાલુ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતોએ મોંઘા ખાતર બિયારણ લઇને વાવણી વાવેલ વાવણી પછી વરસાદ ખેંચાતા પાણી વગર ખેડૂતોની કુમળી મોલાત સુકાઈ રહી છે ત્યારે તો ખેડૂતોનો સિંચાઇ માટેની પોતાની મોલાત બચાવવાં માટે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સૌની યોજનાની પાઇપ લાઇન મારફતે આ તમામ નાના મોટાં જલસાયો ચેકડેમો તળાવો નદી કે વોકલાઓ જ્યાં વાળ મુકેલ છે ત્યાંથી ભરવામાં આવે તો ખેડુતોના કૂવા કે બોરના તળમા પાણી લાગવાથી ખેડુતો સિંચાઈ દ્વારા પોતાની કુમળી મોલાત બચાવી સકસે સરકાર ઘણો ખર્ચો કરીને સૌની યોજનાની પાઇપ લાઇન પહોંચાડી છે તો આવાં સમયે આ યોજના કામ ન આવે તો ક્યારે આવે આત્યરે વરસાદ ખેંચાયો છે ત્યારે આં જળાશયો પાણી વગર ખાલીખમ પડ્યા છે જેથી અત્યારે જ આ જળાશયો ભરવાની જરૂરિયાત છે તેમજ હાલ ખેડૂતોને ખેતીવાડી ફિડરોમાં આઠ કલાક જ વીજળી આપવામા આવે છે તો તેના બદલે હંગામી ધોરણે ખેડૂતોનો ૧૬ કલાક વીજળી આપવામા આવે તો કોઇ ખેડૂતને બિન પિયત જમીન હોઈ તો આજુબાજુના ખેડુતોના બોર કે કૂવાની મદદથી પાઇપ લાઈ નો લંબાવીને પિયત કરી પોતાની મોલાત બચાવી શકે તે માટે આ વિસ્તાર સહીતનાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડુતો વતી ધારાસભ્ય હર્ષદભાઇ રિબડિયા એ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x