આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં કોરોના પોઝિટીવના નવા 15,981 કેસ નોંધાયા

ભારતમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 15,981 નવા કેસ નોંધાયા છે અને 166  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 17,861 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,01,632 પર પહોંચી છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 8867 અને 67 લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 53 હજાર 573

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 33 લાખ 99 હજાર 961

કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 01 હજાર 632

કુલ મોતઃ 4 લાખ 51 હજાર 980

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x