યુક્રેનમાં યુદ્વ શરૂ થતાં ભારતીયોને લાવવા રવાના થયેલી Air Indiaની સ્પેશિયલ ફ્લાઈટ ખાલી પરત
યુક્રેનમાં રશિયાએ કરેલા હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિ બાદ યુક્રેને તેના દેશની અંદર સિવિલ એરક્રાફ્ટની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. NOTAM (નોટિસ ટૂ એર મિશન) જારી કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ભારતીયોને લાવવા રવાના થયેલી એર ઈન્ડિયાની બીજી સ્પેશિયલ ફ્લાઈટ AI-1947 ખાલી હાથે પરત ફરી રહી છે. આ જહાજ આજે સવારે યુક્રેનના બોરીસ્પિલ એરપોર્ટ માટે રવાના થયું હતું પરંતુ હવે તે પરત ફરી રહ્યું છે.
આખરે વિશ્વનાં દેશોને જેનો ડર હતો એ જ થયુું. અંતે રશિયાએ યુક્રેન પર હુમલો કરી જ દીધો. ત્યારે રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રશિયાના હુમલા બાદ યુક્રેન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 300 લોકો માર્યા ગયા છે. તેના તમામ સૈન્ય માળખાંનો નાશ કરવામાં આવ્યો છે.
રશિયાની તરફથી થયેલા હુમલામાં યુક્રેને સૌથી મોટો દાવો કર્યો છે કે રશિયાના હુમલામાં અત્યાર સુધી 300 લોકોના મોત નિપજ્યા છે. તેમના તમામ સૈન્ય ઠેકાણોને પણ તબાહ કરી દીધા છે.
યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે દેશની નૌકાદળને મોટું નુકસાન થયું છે. કિવ અને ખાર્કિવમાં યુક્રેનની સૈન્ય કમાન્ડ પોસ્ટ ભારે રોકેટ હુમલાઓથી નાશ પામી છે. હજુ સુધી આ હુમલાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.