ગુજરાત

રાજ્યના 24 IPS અધિકારીઓ 45 દિવસની ટ્રેનીંગ માટે હૈદરાબાદ મોકલાશે

આ તમામ અધિકારીઓને 45 દિવસ સુધી હૈદરાબાદ ખાતે ટ્રેનીંગ આપવામાં આવશે. જો કે આટલા લાંબા સમયગાળા માટે IPSની જગ્યાઓ ખાલી ના રાખી શકાય તે માટે તેમના સ્થાને અન્ય અધિકારીઓને તેમનો ચાર્જ સોંપવાનો નકકી કરી દીધો છે. અમદાવાદ શહેરના ઝોન-7વિસ્તારના ડીસીપી ભગીરથસીંહ જાડેજાના તાબામાં આવતાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાઇપ્રોફાઇલ લોકો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ રહેતા હોવાથી તેમનો ચાર્જ ક્રાઇમ બ્રાંચના ઇકોનોમિક સેલના ડીસીપી ભારતીબેન પંડ્યાને સોપવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે.

રાજયના ગુહ વિભાગ દ્વારા 24 IPS અધિકારીઓને હૈદરાબાદ સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રેનિંગ સેન્ટર ખાતે મોકલવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના મુખ્ય ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.ઝોન-7ના ડીસીપી ભગીરથ સીંહ જાડેજા, ઝોન-2 જયદિપસીંહ જાડેજા, અત્યંત સંવેદનશીલ સાબરમતી મધ્યસ્થ જેલ સુપ્રિટેન્ડન્ટ ડો તેજસ પટેલ, આતંકવાદી અને દેશદ્રોહની પ્રવુતી અટકાવવાનુ કામ કરતી એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળા સહિતના અનેક અધિકારીઓનો સમાવેશ કરવામા આવ્યો છે.
બીજી તરફ શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં ઝોન-2 ડીસીપી જયદિપસીહ જાડેજાનો ચાર્જ ટ્રાફિક ડીસીપી અને સ્વરછ પ્રતિભા ધરાવતા તેમજ દેશના યંગેસ્ટ અધિકારી તરીકે જાણીતા શફિન હસનને સોપાશે તેમ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ખેડા ડીએસપી રાજેશ ગઢીયાનો ચાર્જ નડીયાદ ડીવાયએસપી વી.આર બાજપાઇનો સોંપવામાં આવ્યો છે. તેમજ સુરેન્દ્રનગર ડીએસપી હરેશ દુધાતનો ચાર્જ લઠ્ઠાકાંડના કારણે વિવાદમાં આવેલા વિરેન્દ્રસિંહ યાદવને સોપવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x