વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઇમ આઉટથી આઉટ થનારો પ્રથમ ખેલાડી બન્યો એન્જેલો મેથ્યૂઝ
આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. મેચ દરમિયાન ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય ન બન્યુ હોય એવી ઘટના સામે આવતા લોકો ચકિત થઇ ગયા છે. શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યૂઝને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજ સુધી કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થઈને પેવેલિયન પરત જવું પડ્યું નથી. શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. તે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઇમ આઉટથી આઉટ થનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. એન્જેલો મેથ્યૂઝ એક પણ બૉલ રમ્યો ન હતો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
મેચમાં શ્રીલંકાનો બેટ્સમેન સદિરા સમરવિક્રમાના આઉટ થયા બાદ મેથ્યૂઝ બેટિંગ કરવા આવ્યો હતો પણ તેનું હેલ્મેટ યોગ્ય ન હતું તેથી તેને પેવેલિયનમાંથી અન્ય હેમલેટ લાવવા કહ્યું, જે દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મેથ્યૂસ સામે ટાઈમ આઉટ કરવાની અપીલ કરતા એમ્પાયરે મેથ્યૂસ પાસે ગયા અને તેને પાછા જવા કહ્યું, મેથ્યૂસ થોડીવાર એમ્પાયર સાથે દલીલ કરતો રહ્યો અને પછી પેવેલિયન પરત ફર્યો હતો.
નિયમ: ટાઈમ આઉટના નિયમ 40.1.1 અનુસાર, વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના રિટાયર્ડ થયા પછી બેટ્સમેન બૉલ રમવાની 3 મિનિટની અંદર આગળનો બૉલ રમવા માટે તૈયાર હોવો જોઈએ. જો આમ ન થાય તો બૉલિંગ ટીમ અપીલ કરશે તો બેટ્સમેનને આઉટ જાહેર કરી શકાય છે. આમાં બૉલરને વિકેટનો શ્રેય મળતો નથી.